જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2026 - જાણો સંપૂર્ણ માહિતી
નમસ્તે મિત્રો આપ સૌ જાણો છો તેમ ધોરણ 8 ના બાળકો માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. યોજનાની સમ્પૂર્ણ માહિતી આજના આ આર્ટીકલમાં આપણે મેળવવાના છીએ . જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ૨૦૨૬ શું છે? આ યોજના ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વિકાસ અર્થે શરુ કરવામાં આવી હતી તેમજ આ યોજના બહુયામી ઉદ્દેશ્ય ધરાવે છે જેમાં ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર વધે, ગરીબ બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે, ગરીબ બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણવા માટે જરૂરી ફી સરકાર તરફથી મળી શકે વગેરે જેવા હેતુઓ આ યોજનામાં રહેલા છે. આ પરીક્ષા નો લાભ શું? જે બાળક આ પરીક્ષાના મેરીટ લીસ્ટમાં આવશે તેને ચાર વર્ષમાં કુલ ગુજરાત સરકાર તરફથી ૯૪,૦૦૦/- રૂ શિષ્યવૃત્તિ પેટે વાલીના બેંક ખાતામાં જમા થશે. જેનું માળખું આ મુજ્ન રહેશે ધોરણ ૦૯ : ૨૨,૦૦૦/- ધોરણ ૧૦ : ૨૨,૦૦૦/- ધોરણ ૧૧ : ૨૫,૦૦૦/- ધોરણ ૧૨ : ૨૫,૦૦૦/- કુલ શિષ્યવૃત્તિ : ૯૪,૦૦૦/- આ પરીક્ષા નો અભ્યાસક્રમ અને પેપર માળખું કેવું હોય? જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઈલ?...